Ghar Sabha 36

DHOON


KIRTAN


CHARITRA

"શૂરવીર ભક્ત"

 જય સ્વામિનારાયણ...

        સ્વામિનારાયણ સંપ્રદાયમાં એવા રત્નો પાક્યા છે, જે કેવળ સંપ્રદાય પૂરતા જ સિમિત નહિ પરંતુ, લોક હૃદયે તેઓનું નામ ગુંજતું. સામાજિક ઇતિહાસોમાં તેઓ સ્વાર્ણાક્ષરે છવાઈ ગયા છે. આ વખતે આપણે એવા ભક્તના પ્રસંગનું દર્શન કરવું છે. જેઓ ખરા શૂરવીર હતા અને ગુજરાતના મહાન લેખક શ્રી ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રની રસધારમાં આ ભક્તનો ઉલ્લેખ કર્યો છે.

ગુજરાતના વરતેજ અને ચિત્રા ગામ વચ્ચે ખુબ મોટી એ વખતે થોરની વાડ્યો હતી. દિવસે પણ બીક લાગે એવી આ વાડયોમાં માણસ ક્યારેય એકલો નીકળે નહિ. સંઘ હોય તો નીકળે અને સાથે વળાવિયા(રક્ષણ કરનાર માણસો અને શૂરવીર યોદ્ધાઓ) રાખે.

આ વડ્યો વચ્ચે એક સંઘ ચાલ્યો જતો હતો, સાથે એક શૂરવીર માણસ વળાવિયા તરીકે હતો. નામ હતું રવાભાઈ. વણિકોનો સંઘ હતો, વાતોચીતો થતી હતી. એવામાં બે સંધિ જેવા લગતા આદમીઓ આ સંઘની પાસે આવ્યા અને સંઘમાં ભળી ગયા, પરંતુ રવાભાઈની ચપળ આંખે તેને પકડી લીધા. પણ વટેમાર્ગુ જાણી તેઓને સાથે ચાલવા દીધા. આગળ જતા બે હથિયારધારીઓ પણ આ ગાડાઓની બાજુમાં ચાલવા લાગ્યા. થોડું ચાલ્યા ત્યાં બે મજબુત માણસ વૃક્ષ પરથી નીચે ઉતર્યા અને ગાડાં રોક્યા, અને કહ્યું કે, તમારા ગાડાંમાં અફીણ છે એવી બાતમી અમોને મળી છે. અમે રાજાના સિપાઈઓ છીએ. કુલ છ જાણ હતા એટલે રવાભાઈને ખબર પડી ગઈ કે, આ સિપાઈઓ નથી પણ લૂંટારાઓ છે.

રવાભાઈએ થોડું વિચારી અને પેલા લુંટારાઓને કહ્યું કે આવા નિર્જન રસ્તામાં જડતી લેવી એ ઠીક નથી, આગળના ગામમાં તપાસ કરવી હોય તો કરજો. પરંતુ આ લૂંટારાઓ હતા માને નહિ.
લુંટારાઓએ કહ્યું દરબાર તમારા ગાડાઓ એક બાજુ લઇ લો... ત્યાં રવાભાઈ તેઓની મેલી મુરાદ પામી ગયા. અને કહ્યું ખાબડદાર આ ગાડાંઓને અડ્યા છો તો... હું પચ્છે ગામના દેવાણી ભાયાતનો ભાગીદાર રવોભાઈ છું અને સ્વામિનારાયણનો સત્સંગી છું. ક્ષત્રિયાણીની કુખે જન્મ્યો છું. લડી જાણું, જીવી જાણું અને મરી જાણું આ કેડે તલવાર કાંઈ શાકભાજી સુધારવા નથી બાંધી જેનામાં જોર હોય તે આવી જાઓ લડવા.

ત્યાં પેલા લૂંટારા બોલ્યા છાનોમાનો જતો રે' નહીતો નાહકનો મરીશ અને પચ્છે ગામના ઝાડવા છેટા રહી જશે. એટલામાં એક લૂંટારાએ તલવારનો ઘા રવાભાઈ તફર કર્યો પણ રવાભાઈએ તેને ચૂકવી દીધો અને ધિંગાણાંની શરુઆત થઈ. એક બે લુંટારાઓને રવાભાઈએ ઠાર માર્યા.

વાણીયા ડરીને એક બાજુએ ઉભા રહ્યા રવભાઈની મદદમાં કોઈ હતું નહીં પરંતુ, જગો કોળી એક હતો. રવાભાઈએ કહ્યું કે, જગા તું મારી પીઠ સાચવજે બાકીતો સ્વામિનારાયણ મારી સાથે છે. જગાએ લાકડું હાથમાં લીધું અને રવભાઈની પીઠની રક્ષા કરવા લાગ્યો.

આ બાજુ પેલા લૂંટારા ડરીને ભાગી ગયા. તે દિવસ રામનવમીનો હતો, સ્વામિનારાયણ ભગવાનની આજે જન્મજયંતિ હતી. રવાભાઈને નકોરડો ઉપવાસ હતો. ખાલી પેટ અને પાછા ધીંગાણામાં ઘવાયા. ત્યાં પેલા વાણિયાએ ત્યાં આવીને રવાભાઈને સાંભળી લીધા. રવાભાઈએ એક ભલામણ કરી કે, મને કોઈ ઔષધમાં દારુ ન પાય. મારા પ્રાણ જતા રહે તેનો મને કોઈ વાંધો નથી પરંતુ દારુ ન પાય તેનું તમે ધ્યાન રાખજો.

થોડા દિવસો પસાર થયા મહારાજની કૃપાથી રવાભાઈને સારું થયું અને મહારાજ પણ ઘણું રાજી થયા. 


Battle with the Mind

There was a young boy named Shaluk Pagi. His father had planted melons on his farm. The boy decided, “As soon as the melons are ripe, I want to take the first melon and offer it to Shreeji Maharaj.” In a short time, the melons ripened. The boy took one melon and left his home to offer it to Shreeji Maharaj.

    On the way, he was tempted by the melon's sweet smell. He thought, “Let me eat this melon.” But then, he remembered his decision to offer it to Maharaj. So, he fought his mind and started to walk again. He walked a bit further and again thought, “Many people offer very expensive gifts to Maharaj. How can my melon compare? Let me eat this melon.” But he told his mind, “No, No. This melon is for Shreeji Maharaj! I want to offer it to Him!”


    He fought with his mind throughout the journey. The Antaryami (all-knowing) Shreeji Maharaj knew of the intense battle that the boy had courageously fought with his mind. When the boy reached Vadtal, Shreeji Maharaj lovingly called him and asked for the melon. He ate a piece and offered the rest as prasad (sanctified food) to everyone in the sabha.


    Shreeji Maharaj was extremely pleased with the boy and gave him five kilograms of sakar (sugar pieces) as a gift.  Do you know why? Shreeji Maharaj  knew that only he who battles with his mind can save himself from bad company. Only he can do satsang.


Moral: We must conquer our mind to please God. Our mind either can help us think of Maharaj or can think of worldly matters. It is now up to us how to use our mind.


KATHA


Bhadresh Radadiya

Shree Swaminarayan Gurukul, Rajkot is a socio-spiritual, non profit organization that believes propagating true education in the world is the noblest work for all.

No comments:

Post a Comment